જામીનોને છુટા કરવા બાબત - કલમ:૪૪૪

જામીનોને છુટા કરવા બાબત

(૧) જામીન ઉપર છોડેલ વ્યકિતની હાજરી માટેના જામીનનો કે તેમાનો કોઇ જામીન તે મુચરકો સદંતર અથવા અરજદારને સબંધકૉ । હોય એટલા પુરતો રદ કરવા મેજિસ્ટ્રેટને કોઇ પણ સમયે અરજી કરી શકશે

(૨) આવી અરજી કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટે એ પ્રમાણે છોડેલ વ્યકિતને પોતાની સમક્ષ રજુ કરવા ફરમાવતુ ધરપકડનુ વોરંટ કાઢવુ જોઇશે

(૩) વોરંટ અનુસાર તે વ્યકિતને હાજર કરવામાં આવે અથવા તે સ્વેચ્છાથી હાજર થઇ જાય ત્યારે મેજિસ્ટ્રેટે તે મુચરકો સદંતર અથવા અરજદારને સબંધક। હોય એટલા પુરતો રદ કરવાનો આદેશ આપવો જોઇશે અને તે વ્યકિતને બીજા પુરતા જામીનો આપવા ફરમાવવુ જોઇશે અને તે એ પ્રમાણે ન કરે તો મેજિસ્ટ્રેટ તેને જેલમાં મોકલી આપી શકશે